મનુ ડાયા પીઠવડીવાળા કે જેના નામથી સુરત અને સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા, શું હતી એની તાકાત..
કોણ હતા મનુ ડાયા પીઠવડીવાળા કેમ એના નામથી તત્કાલીન સુરત અને સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા. શું હતી એની તાકાત. કન્ફયુઞ પાટીદારોની આ પેઢીને ખબર નહીં હોય કે ૧૯૮૦ ની શરૂઆતમાં સુરત શહેરમાં હિન્દી ભાષીઓનો દબદબો હતો. સૌરાષ્ટથી સુરત કમાવા આવેલા કણબીઓને હિન્દી ભાષી ગુંડાઓ દાદાગીરી કરતા હતા. આ સમયે સિંહ જેવી આંખો ધરાવતા એક યુવાનનું લોહી ઉકળી ઉઠ્યું. નક્કી કર્યું કે કાં સુરતમાં પટેલો રહેશે કે કાંતો આ યુપી બિહારના ભૈયાઓ..
એ સમયમાં એક સાથે ૫૦૦ જેટલા મિત્રો, બુલેટ સાથે લય મનુ ડાયા પીઠવડીવાળાએ સાત દિવસ સુધી સુરતમાં ગુંડા સફાઈ અભિયાન ચલાવ્યું. હાલ જેમ દેશમાં નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન ચલાવે છે તે રીતે મનુ ડાયા પીઠવડીવાળાએ ગુંડા સફાઈ અભિયાન ચલાવ્યું. એ વખતના પ્રસિધ્ધ ગુંડાઓને માર-મારી સુરતથી ભગાવી દીધા.
ત્યાર બાદ સુરતમાં સાચા અર્થમાં પટેલોનો દબદબો વઘ્યો. જયારે સમાજ અત્યાચારોનાં પાસમાં બંધાયેલ હતો ત્યારે જો કોઈ એ અમરેલી ભાવનગરમાં વટથી જીંદગી જીવી અને મુરજાયેલ ફુલની જેમ કણબી સમાજ પડ્યો હતો ત્યારે એકલા હાથે જેમને બંદુક ઉઠાવી, સમાજની રક્ષા કરવા માટે જેમને પોતાના હાથ રાતાં કર્યા. ૮૦ નાં દાયકામાં જ્યારે દુષ્કાળની સ્થિતિ આવી ત્યારે હરેક સમાજને આશરો આપનાર, અપક્ષમાંથી ઉભા રહીને જીતી જનાર MLA શ્રી મનુભાઈ ડાયાભાઇ પીઠવડીવાળા તરીકેની ઓળખ ઉભી કરનાર કણબી કુળ ગૌરવને એક હજાર સલામ આજ ઓછી પડે એમના કામ ફક્ત સમાજ પુરતા જ નહીં.
સુરતને સીટી બસ અપાવનાર આ કણબી કુળ ગૌરવનાં શરણો માં નત મસ્તક નમન. સામાવાળાને આંજી દેતી મોટી કાળી આંખો. છટાદાર ચાલ. હંમેશા ચાહકો અને મીત્રોથી ઘેરાયેલા મનુ ડાયા પીઠવડીવાળાની સવાર પ્રજાને સાંભળવાની ને લોકોના પ્રશ્નો કોટૅ કે પોલીસ સ્ટેશને ગયા વગર ઉકેલવાની સ્ટાઇલથી પ્રભાવિત થયેલા બાળા સાહેબ ઠાકરેએ એ સ્ટાઇલ અપનાવી આને તેના પરથી રામ ગોપાલ વર્માએ અમીતાભ બચ્ચનને લયને વિખ્યાત ફિલ્મ સરકાર બનાવી.
સરકારનો મુળ આઇડિયા મનુભાઈ પીઠવડીવાળાના ઘેર સવારના આઠથી દસ વાગ્યા વચ્ચે ભરાતી સભા અને પ્રજાના નાના માણસોના પ્રશ્નોના નિરાકરણથી શરૂ થઈ. હાલ નાં સુરત ત્રિકમનગરમાં આવેલી મનુબાપાની હવેલીએ સવારના આઠથી દસ વાગ્યા સુધીમાં સેંકડો લોકો પોતાની સમસ્યા લઇ આવતા. કોઇને દિકરી પરણાવી હોય કે કોઈ ના પૈસા કોઈ બુચ મારી નાસી ગયું હોય. તમામ સમસ્યાનું સમાધાન ત્વરીત કોટૅ કચેરી કે પોલીસ સ્ટેશને ગયા વગર મનુભાઈ ઉકેલી દેતા. સૈકડો લોકો પોતાની સમસ્યા લઇ આવતા અને સૌ ખુશ થઈ જતાં. આ ઉપરાંત મનુભાઈ ઘાર્મિક આસ્થાવાન હતા.
સવારના આઠથી નવ વચ્ચે તેમને ત્યાં સમગ્ર સુરતના સાધુ, બાવા-ફકીરો આવતા. જેમને એ સમયે રોજ નાચ્તો અને રોકડ રુપિયા દસ આપવામાં આવતા. રાજનીતી પણ એટલી શાનદાર રીતે કરી. એકલા હાથે કુલ ૧૭૦ વિધાનસભાની ચુંટણી લડાવી. યુવા વિકાસ પાર્ટીના નામે ત્રીજો મોરચો ખોલી કોંગ્રેસ ભાજપ બંનેને હંભાવી દીધા. આ સમયે આ આર્ટિકલ એટલે યાદ આવ્યો કે સાંપ્રત પાટીદારોને કોઈ રાહબર નથી. કે જે માત્ર પટેલના હિતની જ વાત કરે. તમારા રોફની તમારી એક આગવી ઓળખ આજ સમાજ ભુલી ગ્યો છે.
જેમ ગીરમાં સાવજની ત્રાડ સંભળાઈ ને શિયાળો બખૌલમાં લુપાઇ જાય એવી જ રીતે તમારા નામ માત્ર થી સુરતમાં આપણા કણબી સમાજને હેરાન કરનાર કનડગત કરનારો વર્ગ કે વ્યક્તિ લુપાઇ જતો ત્યારે આવા સમયે જુના પટેલોને મનુભાઈ સાંભરી રહ્યા છે. આજ સમાજ સંસ્કૃતિ ભુલાઈ ગઈ છે. વડીલોના કામ ભુલવા લાગ્યા છે.
તેના નામો વિસરી જનાર કણબી સમાજને એક નતમસ્તક વંદન કરી ને કહું છું હવે જાગો. જાગ્યા વિના છુટકો નથી. સમાજની અનેક વિભુતીઓ આજ ભુલાઈ ચુકી છે. એમને યાદ કરો, એમના ઉજળા જીવનને જુવો એમના જેવું જીવી ના શકો તો કાંઇ નહીં પણ એમની ઓળખ તો રાખો.
Comments
Post a Comment