Posts

નાનકડી હતી બારી..

  નાનકડી હતી બારી છટકવું પડ્યું ભારી, વિચાર તો હતો કે ચોઘડિયું જોઈ લઉ પણ ઘરે પાછા ફરે, એ સૌમાં હું ના હોઉં કારણ હતું એ જ, કે આજે તો આને કહું જ ગમે તેટલા ભડકો, પણ ગમો છો મને બહુ જ આશા તો હતી હે પ્રભુ ..મને જોશે તો ખરી ને આ નારી ! પરંતુ … પ્યારી એ સન્નારી, નીકળી માથાભારી ! ક્ષણભરનો થયો વિલંબ તે દેખાયો એનો પ્રેમી બે ઘડી તો લાગ્યું, થતો હું નથી ને વહેમી ? બેબાકળા થવું મંજૂર નહીં, પાછા ફરવું અઘરું છે હૃદય આજે ગંભીર છે, ત્યાં કાચાં પડવું અઘરું છે. બારીમાંથી જોયા કર્યું, કાલ્પનિક હતી એ બારી બારી પરથી પાછો ફર્યો ,ને ઉઘડી નવી બારી. ભલે ને… નાનકડી હતી બારી પણ છટકવું પડ્યું ભારી…

આવુંય તે ક્યારેક કરી જોયું છે ખરું? અમસ્તા જ !

Image
  આવુંય તે ક્યારેક કરી જોયું છે ખરું? અમસ્તા જ ! આમ જોવા જઇયે તો પુખ્ત ઉંમરમાં પ્રવેશવું એ બધા માટે ઘણો જ નવો અનુભવ હોય છે. છતાં મારાં સાડા વીસ વર્ષ થવાં એટલે માનસિક રીતે સંપૂર્ણપણે પુખ્ત તો નહિ પરંતુ આ દુનિયા કેવી રીતે ચાલે એનો આછો પાતળો પરિચય થવા લાગ્યો છે. કદાચ એનું મોટામાં મોટું કારણ તો ઉનાળાનો મદ્રાસનો અનુભવ છે, જે તમે જાણ્યું હશે મારા ગયા લેખમાં. ત્યાંથી આવ્યા બાદ ગુજરાતીને જીવી લેવાના જુવાળને શાંત કરવા 3-4 પુસ્તકો પણ વાંચી નાંખ્યા અને 3-4 બીજા લઇ આવ્યો છું. વસ્તુઓનો,લોકોનો,પરિસ્થિતિઓનો પરિચય તો સારો એવો થવા લાગ્યો છે ! ને કદાચ એટલે જ આટલું બધું લખવા માટે વિચારો મળી રહે છે. આજના સમયમાં આપણે એટલું તો કહી જ શકીયે કે વધતી જતી ટેક્નોલોજીના કારણે દુનિયા વધુ ને વધુ નજીક આવતી જાય છે. સોશ્યલ મીડિયાના છાનગપતીયામાં પરોવાઈ ગયેલી આજની યુવાપેઢીને ( એમાં હું પણ ! ) ટેક્નોલોજીએ એવા તે બાંધી રાખ્યા છે કે શું કહેવું ! પણ મને ઘણીવાર આ પરિસ્થિતિ મૃગજળના કાવતરાં જેવી લાગવા લાગે છે. નકામાં ગુડ મોર્નિંગ/ગુડ નાઈટનો નકામો દેખાવો કરવો ( એમાંય ઘણા તો ખાલી GM / GN વાળા જ ! ).  ને પા...

પાણીપુરી ખાવાની સ્પર્ધા !

Image
  આપણે અહીંયા ગુજરાતમાં ઘણી જગ્યાઓએ લાડું ખાવાની સ્પર્ધા યોજાય છે. જો સમાચાર જોતાં હોવ કે સામયીક વાંચતાં હોવ તો ખબર હશે આ બધું. ખાલી ફોનમાં ને ફોનમાં લાગી રહેશો તો બાજુની સોસાયટીવાળી રમીલાના લગ્ન પણ થઇ જશે અને એના જમણવારનું જમવાનુંયે રહી જશે. સામાન્ય રીતે આવી સ્પર્ધાઓમાં જીતવાવાળાં ૨૫-૩૦ લાડું ચટ કરી જતા હોય છે. એ તો એમના માટે સામાન્ય થયું, આપણે તો વધીવધીને ૪-૫ ના ખેલાડી. (મારાં પાતળાં શરીરનો થપ્પો ખાવો નહી. તમારાં ભાગના લાડવાં ખાવા માટે પણ સક્ષમ છું.) જામનગર, અમરેલી, રાજકોટ વિગેરે જિલ્લાઓમાં આવી સ્પર્ધાનું આયોજન થયું હોય એવું સમાચારમાં મેં સાંભળ્યું છે ખરું. અને હું તો કહું છું કે આવી નિયમિત સ્પર્ધાઓ યોજવી જ જોઈએ. બાકી આજકાલ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેવું હોય તો કંઈક પરાક્રમ તો બતાવવું જ પડે ને ! તેમ છતાં આ લાડું ખાવાનું તો સમજ્યાં. પણ પાણીપુરી ખાવાની સ્પર્ધા યોજાઈ હોય એવું સાંભળ્યું છે ખરું? મેં પણ નહોતું સાંભળ્યું. કેમ કે આવી સ્પર્ધા સામાન્યપણે લોકો પોતપોતાનાં ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ હોય ત્યારે કરતાં હોય છે. પરંતુ આ સ્પર્ધાનું કાંઈ ખાસ મહત્વ હોતું નથી. ભાઈ-બહેન અથવા તો મામા-મ...

કહું છું કે

Image
  મારી મીઠી ગુજરાતીનાં અઢળક સાહિત્યના ભંડારની વચ્ચે મારી આ નાનકડી એવી રચનાઓ રજુ કરતાં થોડો અચકાટ લાગતો જણાય છે. નિયમિતપણે લખાતી રચનાઓ અને વાર્તાઓ આ કાતિલ કળયુગના વાવાજોડામાં વિલીન થઇ જતાં જણાય છે.   મહત્વાકાંક્ષી માણસનું બિરુદ પામવા ખાતર ઔદ્યોગિક ક્ષેત્રે કારકિર્દી બનાવવા પાછળ જંપલાવ્યા બાદ; આ મારી નાનકડી એવી મીઠી રચનાઓ માટેનો સમય જાણે પાણીની જેમ હાથમાંથી સરી રહેલો જણાય છે. એમાંય પાછું આજકાલ સંગીત માટેનું કંઈક નવું જ છે.ખુદનું ગિટાર લાવી દીધા પછી એમાંય અવનવા અખતરાં ચાલું હોય છે. એને શીખવામાં ભલે મહિનાઓ લાગી જાય, પરંતુ પોતાની જાતે રચેલી કવિતાઓ કે ગુજરાતી ગીતોને ખુદનું જ સંગીત આપવાનો વિચાર મનમાંથી પસાર થતાં એક અલગ જ પ્રકારની અનુભૂતિ થતી જણાય છે. નીચે લખેલી રચના એવી જ એક છે કે જેને લખ્યાં પછી એના ઉપર સંગીત રેડવાનો અખતરો ચાલું છે. એ ૧૦૧ અખતરાં કર્યા બાદનું સંગીત સાથેનું તાલમેલ જયારે મેળે આવશે ત્યારે જોવાશે. હાલ પૂરતી આ થોડી એવી પંક્તિઓ અહીં રહી :     કહું છું કે કહું છું કે તું આવી જા, રે જોવું છું હું તારી રાહ. છે સહિયારો મિલનનો પળ, ના આ પળને ગુમાવી જા …(૨) એ ...

મારી મીઠી ગુજરાતી પ્રત્યેનો મારો પ્રેમ

Image
  મારી મીઠી ગુજરાતી પ્રત્યેનો મારો પ્રેમ સમર ઓફ 2016 ના બે મહિના, મદ્રાસ જઈને રહેવાના કારણે થયેલાં અપરંપરાગત અનુભવોથી મારામાં છુપી રહેલો ગુજરાતી પ્રત્યેનો પ્રેમ હવે બહાર આવે છે. આ અનુભવોમાંથી પ્રેરણા લઈને મારી મીઠી ગુજરાતીમાં લખવાનું અને ગુજરાતી સાહિત્યમાં યોગદાન આપવાનું આ પહેલું પગથિયું. વાત છે આ ગયાં ઉનાળાની જ ! બન્યું કંઈક એવું કે જુલાઈ 2016 થી મારાં ઈજનેરીનાં ભણતરનું છેલ્લું વર્ષ ચાલું થવાનું હતું. તો એ પહેલાનાં ઉનાળાનાં વેકેશનમાં કોઈક સારી  જગ્યાએ ટ્રેઇનિંગ કરવી એ આવશ્યક હતું. ને એમાં ભાગ્ય જુઓ મારું! આઇ.આઇ.ટી. મદ્રાસના સમર રિસર્ચના પ્રોગામમાં મેં અરજી કરી હતી એમાં મારું ચયન થયું. આવી નામચીન કોલેજમાં રીસર્ચ વર્ક કરવાં મળે એટલે ઘણી સારી તક. આ સમાચાર મળ્યાની સાથે જ ખુશીનાં તો પાર નહી. પરીક્ષાઓ સમાપ્ત થઈ ને હું ચેન્નાઈ માટે રવાના થયો.  ત્યાં પૂરાં બે મહિના કાઢવાનાં હતાં. આટલો સમય ઘરથી ક્યારેય અળગો ના રહ્યો હોવાથી આ મન ચંચળતા અને ઉત્સાહની સાથે સાથે થોડી અસમંજસ પણ લઈને બેઠું હતું.  આપણે રહ્યા થોડા વધુ પડતાં ઈમોશનલ માણસ !  મન ને વિચારે ચડતા બહુ વાર ના લાગે. ...

કોલેજ ઇલેક્શનનાં અવનવા છાનગપતીયા

Image
  કોલેજ ઇલેક્શનનાં અવનવા છાનગપતીયા “ભાઈ દેખ લેના થોડા. અપની તરફસે થોડા સંભાલ લેના.” આજકાલ મારી કોલેજમાં આ વાક્ય જાણે દરેકની ટેગલાઈન જેવી થઇ ગઈ છે. આ બધું તે આવનારી ચૂંટણીના કારણે છે. મગજનાં કબાટને ખોલીને જોવા પ્રયત્ન ના કરતા કે ‘આ ભાઈ વળી કઈ ચૂંટણી ટપકી પડી.’ તમારે કોઈને ક્યાંય વોટ આપવા જવાનું નથી. અને ખુશ પણ ના થશો કે રજા મળી જશે. ( નથી મળવાની !) આ ચૂંટણીટાણું અમારી કોલેજની ચૂંટણીનું છે. (વિધાનસભાની ચૂંટણી જેવી જ અસલ. તો આ લેખ જરા ગંભીરતાથી વાંચવો !) “ચૂંટણીયું એમ તો ઘણીયે કૉલેજુમાં થાય પણ અમારે ઈ એનએસયુઆઈ કે એબીવીપીવાળા નખરાં નઈ.” મારી જેવા જ એક કાઠીયાવાડીની વાતો સાંભળતાં સાંભળતાં મેં નોટિસ કર્યું. ભાઈ જબરદસ્ત ગેલછાથી કોલેજ અને એની વિશેષતાઓની માહિતી ફોન પર કોઈને આપતો હોય એમ લાગ્યું. એનાં વર્તન અને આજુબાજુનાં સાથીમિત્રો પરથી જાણ થઇ કે છોકરો ફર્સ્ટ યરનો છે. તો જ આવો ભારે ઉત્સાહ હોય ને બકા !! બાકી અમારી જેમ ચોથા વર્ષમાં આવીને ઉત્સાહનો ‘ઉ’ પણ જો દેખાય તો કહેવું!(?)  (આ મારા જેવા નવુંનવું લખવાનું ચાલું કરે એટલે મુખ્ય વાત પરથી ભટકતા વાર લાગતી નથી. ખરેખર!  એ બદલ માફ કરવા ...

તો મળીએ ભાઈ સાંજે, ગલ્લા પર !

Image
  તો મળીએ ભાઈ સાંજે, ગલ્લા પર ! ‘ગલ્લો’ શબ્દ સાંભળીને મગજમાં તમાકું, ગુટખા, પાન-માવા એવો વિચાર આવવો એ સ્વાભાવિક છે. લોકો પાનની પિચકારીઓ મારતાં હોય અને સિગારેટ ફૂંકતા હોય એવા દ્રશ્યો મનમાં ઉપસી આવે. પણ અહીંયા હું આ પ્રકારનાં ગલ્લાંની વાત નહિ પરંતુ ચા-કોફીની મજા આપનારાં ગલ્લાંની વાત કરું છું. હા ! એ વાત જુદી છે કે એની બાજુમાં જ આ પાન-માવા-ગુટખાની લારી છે, પણ મારે એની સાથે કંઈ ખાસ લેવાદેવા નથી. મારા માટે તો ગલ્લો એટલે ચા અને ત્યાંનું વાતાવરણ. લોકોને લોકોનું, ખાવાપીવાનું, મશીનોનું એમ અલગ અલગ ચીજ-વસ્તુઓનું એટેચમેન્ટ  (અર્થાત લાગણી કે પ્રેમ) હોય છે. મને એવી જ રીતે અમારી કોલેજની બહારની દીવાલને અડીને ગોઠવાયેલાં ગલ્લાં માટે ભારે લાગણી છે હો ! દિવસમાં એક વાર તો ગલ્લે જવું જ પડે. જરાયે ચાલે નહિ. ગલ્લે ના જાઉં એ દિવસે કોઈએ મોઢામાં ડૂચો નાખીને બેસાડી દીધા હોય એ પ્રકારનો મૂડ હોય છે.(ટૂંકમાં મજા જ ના આવે !!)  આખો દિવસ કોલેજમાં બેસીને, માંડ-માંડ ધ્યાન આપીને (હા ! સાચેમાં ધ્યાન આપીને ;આમ સવાલ ના કરશો કે સાચેમાં ધ્યાન આપે છે કે નહિ?! ) છેલ્લે થાકેલો હોઉં અને ખબર જ હોય કે હોસ્ટેલ જઈને ...

“તો હું શું કહું છું, ચા પીએ અને ચાલુ કરીએ કાંઈક નવું.”

Image
  હું શું કહું છું…         આ ચાનાં ગલ્લે જઈને બેસો એટલે વાતવાતના અંકુર ફૂટે વાતો કરવાં માટે. હવે જગદિશકાકા અમારી કોલેજમાં ૨-૪ રાઉન્ડ દોડીને આવ્યા; કસરત કરવાનાં હેતુથી અને પછી એમણે સોમાભાઈની લારીએ ભજીયા ખાઈ લીધાં લીલા મરચાં જોડે, તો એમાં ખોટું શું છે? પણ આ તો ખાલી વાત છે; કે ચાનાં ગલ્લે બેસો એટલે આખાં ગામની પંચાત નીકળે. અને સમય તો લોકો જોડે છે જ ને. આપણે ક્યાં હવે કોઈ વડાપ્રધાન છીએ કે આપણે સમયની અછત વર્તાય.         તો હાં, આમાં મુદ્દો ઈ છે અત્યારે આ બધું લખવાનો, કે ભાઈ આપણે એક નવો વિભાગ ખોલીએ છીએ આપણાં ઓનલાઇન લેખમાં જેનું નામ રહેશે “હું શું કહું છું…”. આ આપણાં રોજબરોજની ચર્ચામાંથી નીકળી આવેલો એક નવીનતમ અવકાશ છે. તમે ધ્યાન દીધું હોય તો જોજો કે લોકો ઘણીવાર પોતાના મંતવ્યો પુરા પાડે એની પહેલા “હું શું કહું છું…” એવું ભૂલ્યા વિના બોલે છે. તો એને જ ધ્યાનમાં લઈને થોડું તર્ક-વિતર્ક, થોડું રમૂજ અને થોડું વ્યંગ હોય તો આ “હું શું કહું છું…” નો વિભાગ ખીલી ઉઠશે, નઈ? “તો હું શું કહું છું , ચા પીએ અને ચાલુ કરીએ કાંઈક નવું.” ~ નિસર્ગ સોજીત્રા ( અડાજણ, સ...

5 રૂપિયાની જૂની નોટ છે અગર તમારી પાસે,તો આ ખબર જાણી ને થઇ જશો ખુશ ,ક્લિક કરીને જાણો

Image
  તમે બધા જાણો છો કે કોઈપણ વ્યક્તિ તેમની કિંમતી વસ્તુઓ વેચીને ધનવાન થઈ શકે છે અને ઘણી વાર તમે જોયું છે કે આપણે કેટલીક વાર કેટલીક એવી વસ્તુઓ વેચે દઈએ છીએ જે ખૂબ મૂલ્યવાન હોય છે, પરંતુ આપણે તેમનું સાચું મૂલ્ય જાણતા નથી, તેથી તેને ઓછી કિંમતે વેચી દઈએ છીએ.  રંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે કે તમે તેની હરાજી કરીને લાખો કમાઇ શકો છો, કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેની તમે અનુમાન નથી કરી શકતા, કારણ કે તેની કિંમત કરોડોમાં હોય છે, આપણે તે ચીજોને ઓળખી શકતા નથી અને તેને સારી કિંમતે વેચી શકતા નથી, તેથી આજે આ પોસ્ટમાં અમે તમને 5 રૂપિયાની નોટને વેચવા વિશે કહીશું, જો તમારી પાસે પણ 5 રૂપિયાની જૂની નોટ છે, તો તમને આ સમાચાર જાણીને આનંદ થશે, તો ચાલો આપણે ફરીથી જાણીએ. જો તમને જૂની નોટને વેચવા માંગો છવો, તો તેના માટે તેમાં કંઈક એવું ખાસ હોવું આવશ્યક છે કે જેથી તે નોટ સારી કિંમતે વેચી શકાશે, જેમ કે સ્પેશ્યલ સિરીઝની નોટ અથવા 786 નંબર અથવા વધુ જૂની નોટ તેના પર કોઈ છપાયેલ ચિત્ર સાથે હોય.  ઘણા લોકો આ વસ્તુઓ માટે લાખો રૂપિયા આપવા તૈયાર  થઈ જાય છ...

શું હજી ય આપણે સરદાર સાહેબને કોમી તરફદાર કહેવાનું પાપ કરીશું... સરદાર શ્રેષ્ઠ હતા..તે જ સત્ય છે.

Image
સરદાર સાહેબ સાથે જન્મથી અન્યાય થયો હતો.. ૩૧ ઓક્ટોબર સરદારનો જન્મદિવસ... ભાગ્યે જ કોઇને ખબર હશે કે સરદારનો આ ખોટો જન્મદિવસ છે!! શાળામા જ્યારે પહેલવહેલી જન્મદિવસની જરુર ઉભી થઇ ત્યા સુધી સરદારને પણ ખબર ન હતી કે મારો જન્મદિવસ કયો છે! જ્યારે ફોર્મ ભરવા માટે શિક્ષકે પૂછ્યુ ત્યારે મનમા જે તારીખ આવી તે કહી દીધી...! સરદારને જ સૂઝે એવુ હાજરજવાબીપણુ આજીવન ચાલ્યુ. આજે પણ આપણે એ જ તારીખ ઉજવીએ છીએ! જાણીને આંચકો લાગે એવી વાત છે પણ સત્ય એ છે કે સરદારના જન્મ અંગે કોઇ જ નોંધ નથી. એમના પરિવારે પણ બાકીના ભાઇબહેનોની વિગત રાખી છે, વલ્લભની નહી.!! એમની સાથે અન્યાય જાણે કે જન્મથી જ શરુ થઇ ગયેલો. સરદારના મોટાભાઇ એટલે કે વિઠ્ઠલભાઇ પટેલ સાત વર્ષના હતા અને શાળામા દાખલ થઇ ગયેલા પણ સરદારને નવ વરસ સુધી શાળા નસીબ નહોતી થઇ!! નવ વરસ પછી શાળામા દાખલ થનાર આ બાળક સાથે થયેલો આ અન્યાય કોણે કર્યો હશે? સરદાર પટેલ જે સમાજમાથી આવે છે તે સમાજમા છ ગામનો ગોળ સૌથી વધુ મોભાદાર ગણાતો ભાદરણ, ધર્મજ, કરમસદ, નડીયાદ, સોજિત્રા, વસો મતલબ કે આ છ ગામમા જ લગ્ન થઇ જવા એ પ્રતિષ્ઠિત ગણાતુ. પરંતુ સરદારના લગ્ન ગાના નામના ગામમા થયેલા! કરમસદ સિવાયના ...

વટ, વચન અને ખુમારી રાખનાર અસલ પટેલ વિર મનુભાઈ પીઠવડીવાળા

Image
  સમગ્ર સમાજને કોઈ પાસે જઈ કંઈ કહવુ હોઈ કે પટેલોની વાત વટ સાથે રજુ કરે તેવો નરબંકો દેખાતો નથી ત્યારે યાદ આવે છે ઓગણીસો એંસી અને નેવુના દાયકાનો અસલ પટેલ વિર મનુભાઈડાયા પીઠવડીવાળા. વટ, વચન, મર્દાના ઝબાન અને પાલન કરવાની જીદ. મસ મોટા નેતાઓને તુંકારે બોલાવી એક ઘાને બે કટકાનો મીજાજ. ગરિબો માટે દેશી રોબીન હુડ અને રાજનેતાઓને પગની પાનીએ બેસાડવાની હાંક. કોણ હતા મનુ ડાયા પીઠવડીવાળા, કેમ એના નામથી ત્કાલીન સુરત અને ત્યાર બાદ સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા, શું હતી તેની તાકાત. કન્ફયુઝ પાટીદારોની આ પેઢીને ખબર નહી હોઈ કે ઓગણીસો એંસીની શરુઆતમાાં સુરતમાં હિન્દી ભાષીઓનો દબદબો હતો. સૌરાષ્ટ્રથી આપ મેળે રળવા આવેલા કણબીઓને હિન્દી ભાષી ગુંડાઓ દાદાગીરી કરી દબાવતા હતા, આ સમયે સિંહ જેવી આંખો ધરાવતા એક યુવાનનુ લોહી ઉકળી ઉઠ્યુ. નક્કી કર્યુ કે કાં સુરતમાં પટેલો રહેશે કે કાંતો આ યુપી બીહારના ભૈયાઓ.. એ સમયમાં એક સાથે પાંચસો જેટલા મિત્રો બુલેટ સાથે લઈ મનુ ડાયા પીઠવડીવાળાએ સાત દિવસ સુધી સુરતમાં ગુંડા સફાઈ અભિયાન ચલાવ્યુ. હાલ જેમ દેશમાં નરેન્દ્ર મોદી સ્વછતા અભિયાન ચલાવે છે તે રીતે મનુ ડાયા પીઠવડીવાળાએ ગુંડા સફાઈ અભિયા...

નિવૃત DYsp ના પુત્ર એ પત્ની અને બે દીકરી સાથે સામુહીક આપઘાત કરી જીવન ટુકાવયુ

Image
જાણવા મળતી વિગતો અનુસાર વિજયરાજ નગરમાં “પૃથ્વીરાજ” નામના મકાનમાં રહેતા નિવૃત્ત ડીવાયએસપી નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજા,  તેમના પત્ની બીનાબા, અને બે દીકરીઓ નંદીનીબા (18 વર્ષ ), અને યશશ્વિબા (11વર્ષ) એક સાથે સામુહિક આપઘાત કરી  લીધો છે. એસપી જયપાલસિંહ રાઠોડ એએસપી હસન સફિન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચતા તમામના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ આપઘાત કયા કારણોસર બન્યો છે તેનુ મુખ્ય કારણ હજી સુધી બહાર આવ્યુ નથી.

આપણા લોકલાડીલા મંત્રીશ્રી અને પથદર્શક જયેશભાઈ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હૃદયથી દુઃખની લાગણી અનુભવું છું...

Image
આપણા લોકલાડીલા મંત્રીશ્રી અને પથદર્શક જયેશભાઈ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હૃદયથી દુઃખની લાગણી અનુભવું છું... પણ આજે એમના વિશે બે રોચક વાત કરવી છે... વાત છે સરકારે મુકેલ કડક લોકડાઉનમાં સુરતમાં કોરોનાનો કહેર ફેલાતો જેતપુર જામકંડોરણા વિસ્તારના સુરત રહેતા લોકોની વહારે આવી 100 થી વધારે બસો અને સેંકડો ખાનગી વાહનો સાથે સેંકડો લોકોની વતન વાપસી કરાવી...કુદરતનો કરિશ્મા કહો તો એ અને લોકોની કાળજી કહો તો એ એમાંથી એકપણ વ્યક્તિને કોરોના પોઝિટિવ રિપોર્ટ ના આવ્યો.... ત્યારે વિઠ્ઠલભાઈના શબ્દો યાદ આવે કોઈ કામ લગનથી કરો એટલે કુદરતને સાથે જ રહેવું પડે... મૂળ વાત જે કરવી છે એ કે તે સમયે મેં મંત્રી સાહેબ સાથે બસોની વ્યવસ્થા દરમ્યાન વાત કરી હતી કે આપ સાહેબ સુરતથી આવતા લોકોની વ્યવસ્થા માટે સતત હાજર રહો છો ધ્યાન રાખશો ક્યાંક આપને તકલીફ ન પડે !! ત્યારે એમને એવું જણાવ્યું કે કોરોનામાં ધ્યાન રાખવાનું જ છે પણ મારા માટે આપણા વિસ્તારમાં આમ લોકોથી મોટો કોરોના નથી...એ લોકો મહામારીમાં ચેનથી સુરત રહી શકતા ન હતા એટલે એમની ખેવના કરવી એ મારી ફરજ બને છે એમાં ક્યારેય પીછેહટ નહિ કરું... બીજી વાત એ કે હળવા...

સરભરા તો સરદાર સાહેબ જેવી કોઈ ના કરી શકે.

Image
સરદાર બારડોલી આશ્રમમાં હતા તે સમયની વાત છે. ગાંધીજી આવવાના છે એવા સમાચાર મળ્યા. ગાંધીજી આવે એટલે થોડું લાબું રોકાણ કરે અને એના કારણે ગાંધીજીને મળવા માટે કૉંગ્રેસના કાર્યકરો દેશભરમાંથી આવે આવનારા આ તમામ મહેમાનોની આગતા સ્વાગતા થાય એની સરદાર પુરી તકેદારી રાખે. ‌     જેમને આ માટેની વ્યવસ્થા સોંપવામાં આવી હોય એની સાથે અલગથી બેઠક કરે અને આ બધાની વ્યવસ્થા જાળવવામાં કેટલો ખર્ચો થશે એનો અંદાજ રજૂ કરવા કહે. વ્યવસ્થાપકો ગણતરીઓ  માંડીને અંદાજ કાઢે અને પછી સરદારને કહે, " લગભગ ૭-૮ હજાર રૂપિયાની જરૂર પડશે." આ ૭ - ૮ હજાર રૂપિયાની માંગણીની સામે સરદાર સાહેબ ૧૪૦૦૦નો ચેક આપે. માંગણી કરતા વધારે રકમ મળે એટલે વ્યવસ્થા સંભાળનાર રાજી થાય સરદાર એમને કડક સૂચના આપતા કહે, " જો, જો આપેલી રકમમાંથી એક રૂપિયો વધવો ના જોઈએ. લોભિયા ન થતા અને છુટથી ખર્ચ કરજો." ‌    સરદાર કરકસર જરૂર કરતાં પણ કંજુસાઈ નહીં. બધાની સરભરા માટે અંગત કાળજી પણ ખૂબ રાખે. સરોજીની નાયડુને ઘીમાં તળેલા મરચા બહુ ભાવે, જવાહરલાલ અને ખાન અબ્દુલ ગફાર ખાનને કોફી સારી જોઈએ, મોલના આઝાદને ચા અને સિગરેટ વગર ન ચાલે, રાજેન...
Image
તકમરીયા.... એક આયુર્વેદનાં જાણકાર વડિલ શ્રી એ વર્ષો પહેલાં મને વાત વાત માં કીધું હતું કે તકમરીયા નાં પાન ની ચટણી શ્રાધ્ધ નાં પંદર દિવસ દરમિયાન ખાવાંથી આખું વર્ષ વાઇરલ રોગો થીં બચી શકાય તેવાં એન્ટીવાયરલ ગુણ ધરાવે છે.. ગત વર્ષે આ સમયગાળામાં મારા ઘરમાં બધાં સભ્યોએ આ ચટણી ખાધી હતી અને તે ઉપરાંત મિત્ર સગાંઓ ને પણ આ પાન પહોચાડી ચટણી ખાવાં પ્રેર્યા હતાં.. આ આખાં વર્ષ દરમિયાન વાઇરલ રોગો ધણા ફેલાયા હોવાં છતાં અમારા ઘરમાં કે તે મિત્ર-સગાંઓ નાં ઘરે કોઈ ને કોઈ જ વાયરલ બિમારી આવી નથી તો  તે માટે ઇશ્વર નો આભાર માનું છું... અને આપ સહુ ને અનુરોધ છે કે આ ચટણી જરૂર બનાવી ને આ સમય દરમ્યાન ખાય.. કોઈ નુકસાન નથી...       આદુ,મરચાં, કોથમીર, ફુદીનો, મીઠો લીમડો આ પાંચ વસ્તુ યોગ્ય પ્રમાણમાં લઇ આ પાંચેયનાં વજન બરાબર તકમરીયા નાં કુણા પાન લઇ ચટણી બનાવવી ને તેમાં જરૂર મૂજબ મીઠું લીંબુ નાખો એટલે ચટણી તૈયાર.. બહુ સ્વાદિષ્ટ બને છે.       તો સ્વાદ ખાતર પણ આ પંદર દિવસ માં પાંચ-છો વાર આ ચટણી ખાવ અને આવતા વર્ષે પાછા કોઈ પોસ્ટ પર મળીશું.. અને કોઈ ને વાયરલ બિમારી આવી નથી ને એ સહુ પાકું કરીશ...

❎ ખાલી પેટ ન ખાશો આ વસ્તુઓ, શરીર માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે ❎

Image
❎ ખાલી પેટ ન ખાશો આ વસ્તુઓ, શરીર માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે ❎ કેટલીક વસ્તુઓ ખાલી પેટ ખાવાથી નુકસાન થઇ શકે છે. તેને ખાવાથી શરીરમાં એસિડનું લેવલ વધી શકે છે અને એસિડિટી જેવી સમસ્યા થઇ શકે છે. એટલા માટે ખાલી પેટે આ વસ્તુઓ ખાવાથી બચો. કેટલાક ફળો એવા છે કે જે ખાલી પેટ ન ખાવા જોઇએ. ખાલી પેટ કેળા ખાવાથી કેલ્શિયમ અને મેગ્નીશિયમનું સંતુલન બગડી જાય છે. તો આવો જાણીએ કેટલાક એવા ફૂડ જે ખાલી પેટ ન ખાવા જોઈએ  🅾 - ખાલી પેટ દૂધ પીવાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર અસર થશે, કફ થવાની આશંકા વધી જાય છે તેમાં રહેલા સેચુરેટેડ ફેટ અને પ્રોટીન પેટના મસલ્સને નબળા કરે .. 🅾 - ખાલી પેટ શક્કરિયા ખાવાથી ડાયજેશન ખરાબ થઇ શકે છે, છાતીમાં દુઃખાવો થવાની શક્યતા. તેમાં ટેનિન અને પેક્ટીન હોય છે, જે ખાલી પેટ ડાયજેસ્ટ નથી થતા 🅾 - ખાલી પેટ ટામેટા ખાવાથી તમને શરીરમાં સ્ટોનની સમસ્યા થઈ શકે છે.  તેમાં રહેલો એસિડ પેટમાં અઘુલનશીલ ઝેર ઉત્પન કરી શકે છે. 🅾 - ખાલી પેટ ખાંડ ખાવાથી આંખોની બીમારી થઈ શકે છે. ખાલી પેટ ખાંડ અથવા તો ગળી વસ્તુ ખાવથી શરીરમાં બ્લડ શુગરનું લેવલ વધે છે.  🅾 - ખાલી પેટ ચા પીવાથી પેટમાં અલ્...

ડેપ્યૂટી CM નીતિન પટેલ નું નવરાત્રી મુદે મોટુ નિવેદન...

Image
બધું ગયું માય, રાજ્યની સૌથી મોટી સમસ્યા "ગરબા રમવા કે નહીં" એ છે. વિચારણા તો એની જ કરવાની 😂 હવે ધીમે ધીમે મને ખબર પડે છે કે લોકો કેનેડા,અમેરિકા,ઓસ્ટ્રેલિયા કેમ ભાગી જાય છે