Posts

દુપટ્ટાથી બાંધેલી હાલતમાં યુવક અને યુવતીના મૃતદેહો મળ્યા, પ્રેમી-પંખીડા હોવાની આશંકા

Image
  પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ગડીત ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં કમરે દુપટ્ટા વડે બંધાયેલા યુવક અને યુવતીના મૃતદેહ મળ્યા છે. વડોદરા ફાયર લાશ્કરોએ એક કલાકની જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ દરમિયાન સ્થળ પર દોડી ગયેલી હાલોલ રૂરલ પોલીસે મૃતદેહોનો કબજો લઇને વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, આ મૃતદેહો પહેલાં વાઘોડિયા તાલુકાના રામેશરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં દેખાયા હતા. પરંતુ, ફાયર બ્રિગેડની ટીમ રામેશરા પહોંચે તે પહેલાં બંને મૃતદેહો પાણીના પ્રવાહમાં હાલોલ પાસે ગડીત ગામ પાસે પહોંચી ગયા હતા. વાઘોડિયા તાલુકાના રામેશરા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં યુવક અને યુવતીનો કમરથી દુપટ્ટા સાથે બાંધેલી હાલતમાં મૃતદેહો તણાતા નજરે ચડતાં ચકચાર મચી ગઇ છે. આ બનાવના પગલે મોટી સંખ્યામાં ગ્રામજનોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. ઘટના અંગેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને થતાં લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને હાલોલ ગામ પાસે ગડીત ગામ પાસેથી બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ અંગે ફાયર ઓફિસર જશુભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, યુવક યુવતીની લાશ રામેશરા ગામ પાસેથી પસાર થતી ...

આખા ભારતમાં ઢોસો ખવાય છે, પરંતુ ૯૯% લોકો તેને ખાવાની સાચી રીત નથી જાણતા, આ વ્યક્તિએ બતાવી ઢોસો ખાવાની સાચી રીત

Image
  ઢોસા અને ઇડલી ભારતીય વ્યંજનોમાં સૌથી વધારે ડિમાન્ડ વાળા વ્યંજન છે. સાઉથ ઇન્ડિયન વ્યંજન લગભગ દરેક ભારતીય રેસ્ટોરન્ટ મળે છે. ઢોસા નો આનંદ લેતા સમયે આપણે તેને હાથેથી ખાવાનું પસંદ કરીએ છીએ. કુરકુરા ઢોસા ની સાથે સ્વાદિષ્ટ બટેટાનું મિશ્રણ અને ત્યારબાદ ગરમ સાંભાર માં ડુબાડી ને ખાવાની મજા અલગ હોય છે. પરંતુ શું તમે તેને ખાવાની યોગ્ય રીત વિશે જાણો છો? જોકે ઘરે ઢોસા નો આનંદ લેવાની સૌથી યોગ્ય રીત હોઈ શકે છે, પરંતુ જ્યારે આપણે બહાર ભોજન કરીએ છીએ તો આપણે અમુક શિષ્ટાચાર નું પાલન કરવાનું હોય છે. શું આ મસાલા ઢોસા ખાવાની યોગ્ય રીત છે? એક ફુડ બ્લોગર દ્વારા હાલમાં જ મસાલા ઢોસા ખાવાની યોગ્ય રીત બતાવીને એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જેવો આ વિડીયો લોકોએ ઇન્ટરનેટ ઉપર જોયો તો લોકો વિચારમાં પડી ગયા હતા. ફુડ સ્ટાઈલિસ્ટ અને બ્લોગર માનસી શિવ રાઠી દ્વારા હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો, જેમાં તેમણે જણાવ્યું હતું કે ઢોસો કઈ રીતે ખાઇ શકાય છે. જ્યારે યુઝરે આ વીડિયો જોયો તો અમુક લોકો સહમતી બતાવી રહ્યા હતા, તો અમુક લોકો આનાકાની કરવા લાગ્યા હતા. વિડીયો જોયા બાદ લોકોના અમુક...

આખરે લીંબુની કિંમતોમાં આટલી આગ શા માટે લાગી છે, જાણો તેની પાછળનું સાચું કારણ

Image
  દેશનાં મોટાભાગના શહેરોમાં હાલના દિવસોમાં શાકભાજીની કિંમતોમાં ખુબ જ ઝડપથી વધારો થયો છે. આ બધાની વચ્ચે લીંબુ ની કિંમતે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. લીંબુના ભાવ હાલના સમયમાં ૩૫૦-૪૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી ચડી ગયા છે. લીંબુની વધી ગયેલી કિંમતોથી ફક્ત ગ્રાહકો જ નહીં, પરંતુ દુકાનદાર પણ પ્રભાવિત છે. પરંતુ આખરે એવું શું થયું કે લીંબુ ની કિંમતો અચાનક આસમાને પહોંચી ગઈ છે. ચાલો તેનું સાચું કારણ અમે તમને જણાવીએ. આ કારણથી મોંઘા થઈ રહ્યા છે લીંબુ લીંબુની દેશભરમાં તંગી થઈ ગઈ છે. સૌથી મોટું કારણ છે કે દેશના જે હિસ્સામાં લીંબુનો ઉત્પાદન મોટા સ્તર ઉપર થતું હતું ત્યાં ભીષણ ગરમી પડી રહી છે. ગરમીને લીધે લીંબુ નું ઉત્પાદન પ્રભાવિત થયું છે. લીંબુ નાં ફળ શરૂઆતના દિવસોમાં જ બરબાદ થઈ રહ્યા છે. જેના કારણે ઉત્પાદન ઉપર મોટી અસર પડી રહી છે. ઝડપી હવા અને ગરમીને લીધે લીંબુનાં ફુલ ખરી જાય છે, જેના લીધે ઉત્પાદન પ્રભાવિત થાય છે. આ પણ એક મોટું કારણ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા વિસ્તારોમાં લીંબુની ખેતી મોટા સ્તર ઉપર થાય છે. આ વિસ્તારમાં ભીષણ ગરમી પડી રહી છે. ગરમીને લ...

રણબીર-આલિયા નાં લગ્નમાં કિન્નરોએ અધધધધ રૂપિયાની કરી માંગણી, કપુર પરિવાર માંગણી સ્વીકારીને આપી આંખો ફાટી જાય મોટી એટલી રકમ

Image
  ૧૪ એપ્રિલનાં રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા બાદ અભિનેતા રણબીર કપુર અને અભિનેત્રી આલિયા ભટ્ટ સતત ચર્ચામાં છવાયેલા છે. બંને કલાકારોનાં લગ્ન રણબીરના ઘર વાસ્તુ પર મિત્રો તથા નજીકના સંબંધીઓ ની વચ્ચે પંજાબી રીતિ રિવાજથી સંપન્ન થયા હતા. રણબીર અને આલિયા ના લગ્ન આ પહેલા ૨૦૨૦માં થવાના હતા, પરંતુ કોરોના મહામારી ને કારણે આ કપલના લગ્ન થઈ શક્યા ન હતા. જોકે કપલે હવે જ્યારે કોરોના ની સ્થિતિ નિયંત્રણમાં આવી ગઇ હોવા છતાં પણ લગ્નમાં ફક્ત ૫૦ થી વધારે મહેમાનોને આમંત્રીત કર્યા ન હતા. રણબીર અને આલિયા ના લગ્નમાં ભટ્ટને કપુર પરિવાર સિવાય કપલના મિત્ર નજીકના સંબંધીઓ તથા અમુક બોલીવુડ સિતારાઓએ શામેલ થયા હતા. વળી શનિવાર રાત્રે રણબીર અને આલિયાનું વેડિંગ રિસેપ્શનમાં પણ ઘર ઉપર જ રાખવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં આમિર ખાન અને શાહરુખ ખાન પણ પહોંચ્યા હતા. રણબીર અને આલિયા ના લગ્ન અને વેડિંગ રિસેપ્શનમાં વધારે મહેમાનોને બોલાવવામાં આવ્યા ન હતા. જણાવી દઈએ કે વિવાહના બંધનમાં બંધાઈ ગયા બાદ રણબીર અને આલિયા મીડિયા ને મળ્યા હતા. વળી મીડિયામાં કપુર પરિવારે લગ્ન બાદ મીઠાઈ પણ વહેંચી હતી. વળી હવે કપુર પરિવાર તરફથી કિન્નરોને શુકન પ...

મોજડી ચોરીને સાળીઓએ રણબીર કપુર પાસે માંગ્યા ૧૧.૫ કરોડ, ભાવતાલ કરીને છેલ્લે આટલા રૂપિયા આપ્યા

Image
         રણવીર કપુર અને આલિયા ભટ્ટનાં લગ્નની તસ્વીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તેની વચ્ચે મોજડી ચોરવાની વિધિ ચર્ચામાં છવાયેલી છે. મોજડી ચોરવાની વિધિ ઉપર સાળીઓએ પોતાના જીજાજી પાસેથી નાની મોટી રકમ નહીં, પરંતુ ૧૧.૫ કરોડ રૂપિયા માંગી લીધા હતા. નવા-નવા જીજાજી બનેલા રણબીર કપુર પહેલાં તો સાળીઓને જોઈને થોડા શરમાઈ ગયા. પરંતુ જ્યારે તેમની માંગણી સાંભળી તો તેમના હોશકોશ ઊડી ગયા હતા. ચાલો તમને જણાવીએ કે આખરે જીજા અને સાળી ની વચ્ચે મોજડી ચોરવાનો આ સોદો આખરે કેટલા રૂપિયામાં નક્કી થયો હતો. બોલીવુડનાં સૌથી ચર્ચિત કપલ માંથી એક રણબીર અને આલિયાનાં વિતેલા દિવસોમાં ધામધુમથી લગ્ન થયાં છે. ફેન્સ લગ્ન બાદ તેમની એક ઝલક ની રાહ જોઈ રહ્યા હતા. આલિયા ભટ્ટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી લગ્નનાં થોડા સમય બાદ પોતાની અને રણવીરની તસ્વીરો પોતાના ફેન્સ સાથે શેર કરી દીધી હતી. જણાવી દઈએ કે બંનેના લગ્ન ખુબ જ પ્રાઇવેટ રીતે થયા હતા અને તેમના લગ્નમાં અમુક લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે આ ચર્ચિત લગ્નના સમાચારો એક-એક કરીને બહાર આવી રહ્યા છે. તેવામાં એક સમાચાર રણવીર ની મોજડી ચોરવા સા...

શ્રીકૃષ્ણ કહે છે કે આવો વ્યક્તિ સૌથી મોટો જુઠ્ઠો અને પાપી હોય છે, તેની પાસે ક્યારેય માં લક્ષ્મી આવતા નથી

Image
ધર્મશાસ્ત્રોમાં માતા લક્ષ્મીને ધન અને વૈભવની દેવી માનવામાં આવે છે અને જણાવે છે કે તે ચંચળ સ્વભાવના હોય છે. આવું એટલા માટે કારણ કે તે હંમેશાં કોઈની પાસે ટકતા નથી. જેની ઉપર માં  લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ થાય છે, તેના જીવનમાં ક્યારેય પણ કોઈ ચીજની કમી રહેતી નથી. માં લક્ષ્મીના આશીર્વાદ ભિખારીને પણ રાજા બનાવી દેતા હોય છે અને જેનાથી રિસાઈ જાય તેને ભિખારી બનાવી દેતા હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં અમુક એવી વાતો જણાવવામાં આવી છે જેને કરવાથી માં લક્ષ્મી હંમેશા માટે ઘર છોડીને ચાલ્યા જાય છે. કારણ કે જાણતા-અજાણતા માં આપણે એવી ઘણી ભુલો કરી બેસીએ છીએ, જેનાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે. તો ચાલો તે ભુલો વિષે જાણીએ અને ધ્યાન રાખીએ જેનાથી માં લક્ષ્મી આપણું ઘર છોડીને ન જાય. ઘણા બધા લોકો ઘરમાં એઠા વાસણ ફેલાવીને રાખે છે. મોટાભાગના લોકો રાતના સમયે એઠા વાસણ રાખી દેતા હોય છે અને સવારે તેને ધોવે છે. જે શાસ્ત્રો અનુસાર બિલકુલ પણ યોગ્ય નથી. ઘરમાં એઠા વાસણ ક્યારેય પણ રાખવા જોઇએ નહીં. તેનાથી દેવી લક્ષ્મી રિસાઈ જાય છે અને વધારે દિવસ સુધી ઘરમાં રહેતા નથી. એટલા માટે ઘરમાં હંમેશા સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ, જેનાથી...

મનુ ડાયા પીઠવડીવાળા કે જેના નામથી સુરત અને સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા, શું હતી એની તાકાત..

Image
  કોણ હતા મનુ ડાયા પીઠવડીવાળા કેમ એના નામથી તત્કાલીન સુરત અને સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા. શું હતી એની તાકાત. કન્ફયુઞ પાટીદારોની આ પેઢીને ખબર નહીં હોય કે ૧૯૮૦ ની શરૂઆતમાં સુરત શહેરમાં હિન્દી ભાષીઓનો દબદબો હતો. સૌરાષ્ટથી સુરત કમાવા આવેલા કણબીઓને હિન્દી ભાષી ગુંડાઓ દાદાગીરી કરતા હતા. આ સમયે સિંહ જેવી આંખો ધરાવતા એક યુવાનનું લોહી ઉકળી ઉઠ્યું. નક્કી કર્યું કે કાં સુરતમાં પટેલો રહેશે કે કાંતો આ યુપી બિહારના ભૈયાઓ.. એ સમયમાં એક સાથે ૫૦૦ જેટલા મિત્રો, બુલેટ સાથે લય મનુ ડાયા પીઠવડીવાળાએ સાત દિવસ સુધી સુરતમાં ગુંડા સફાઈ અભિયાન ચલાવ્યું. હાલ જેમ દેશમાં નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન ચલાવે છે તે રીતે મનુ ડાયા પીઠવડીવાળાએ ગુંડા સફાઈ અભિયાન ચલાવ્યું. એ વખતના પ્રસિધ્ધ ગુંડાઓને માર-મારી સુરતથી ભગાવી દીધા.   ત્યાર બાદ સુરતમાં સાચા અર્થમાં પટેલોનો દબદબો વઘ્યો. જયારે સમાજ અત્યાચારોનાં પાસમાં બંધાયેલ હતો ત્યારે જો કોઈ એ અમરેલી ભાવનગરમાં વટથી જીંદગી જીવી અને મુરજાયેલ ફુલની જેમ કણબી સમાજ પડ્યો હતો ત્યારે એકલા હાથે જેમને બંદુક ઉઠાવી, સમાજની રક્ષા કરવા માટે જેમને પોતાના હાથ રાતાં કર્યા. ૮૦ નાં દાયકા...

ગાંધી કદી મરે નહિ

Image
ભારતના બે મહાપુરુષો એવા છે જેને સારી દુનિયા ઓળખે છે. અભ્યાસુઓ ઓળખે તે વાત જુદી છે પણ દુનિયાભરમાં સામાન્ય અભણ પ્રજા પણ ઓળખતી હોય એવા મૂળ ભારતના બે મહાપુરુષોમાં એક તો ગૌતમ બુદ્ધ અને બીજા છે ગાંધીજી. ગૌતમ બુદ્ધ માટે વિડમ્બના એ છે કે વિદેશોમાં ઘણા લોકો એમને ચાઇનીઝ સમજે છે, મને એનો જાત અનુભવ છે જ્યારે ગાંધીજી સાથે એ પ્રશ્ન ઊભો થતો નથી. વિદેશોમાં આપણા કોઈ આવા એવરેસ્ટ કદના નેતાની પ્રતીમાઓ હોય તો તે ગાંધીજી છે. લગભગ ગાંધીજીની દસેક પ્રતીમાઓ વિદેશોમાં સ્થિત છે. ૧) લેક શ્રીન કેલિફોર્નિયામાં ગાંધી વર્લ્ડપીસ મેમોરીયલ છે ત્યાં એમની પ્રતિમા છે. ૨) ટેવીસ્ટોક સ્ક્વેર લંડનમાં એમની એક પ્રતિમા છે જેનું અનાવરણ ૧૯૬૮મા હેરોલ્ડ વિલ્સન નામના બ્રિટીશ વડાપ્રધાને કરેલું. ૩) કોપનહેગન ડેન્માર્કમાં એક પ્રતિમા છે જે ૧૯૮૪મા ઇન્દિરાજીએ ભેટ આપેલી. ૪) ચર્ચ સ્ટ્રીટ, પીટ્સમારીટ્ઝબર્ગ સાઉથ આફ્રિકામાં ગાંધીજીની એક પ્રતિમા છે જેનું અનાવરણ આર્કબીશપ ડેસમોન્ડે કરેલું. ૫) પ્લાઝા સિસિલિયા બુએનોસએરીસ, આર્જેન્ટીનામાં પણ એક પ્રતિમા છે. ૬) ગ્લેબે પાર્ક કેનબરા ઓસ્ટ્રેલીયામાં એમની એક પ્રતિમા બ્રોન્ઝની છે. ત્યાં લખેલું છે નો ...

એક સારા સમાચાર છે આખરે * જામનગર આર્યુવેદ યુનિવર્સિટીના એક વિદ્યાર્થી એક * કોવિડ 19....

Image
એક સારા સમાચાર છે આખરે * જામનગર આર્યુવેદ યુનિવર્સિટીના એક વિદ્યાર્થી એક * કોવિડ 19 * માટેના ઘરેલું ઉપાયો શોધી કાઢ્યો ,  જેને ડબ્લ્યુએચઓ WHO એ પ્રથમ સ્થાને મંજૂરી આપી . તેણે સાબિત કર્યું કે * એક ચમચી કાળા મરી * નો પાવડર ભરીને , બે ચમચી મધ * થોડો * આદુનો રસ * જો સતત ૫ દિવસ સુધી લેવામાં આવે તો , કોરોનાની અસર ૧૧૦ % સુધી દૂર થઈ શકે છે . આખું વિશ્વ આ સારવાર લેવાનું શરૂ કરી રહ્યું છે.........  તેને તમારા બધા ગ્રુપમાં મોકલો ....... .🙏🙏

‘સ્ટોપ કોવિડ’ ટેસ્ટ, હવે ઘરે જાતે જ કરી શકાશે કોરોનાની તપાસ

Image
‘સ્ટોપ કોવિડ’ ટેસ્ટ, હવે ઘરે જાતે જ કરી શકાશે કોરોનાની તપાસ અમેરીકાની એમઆઇટીએ વિકસિત કરી નવી રેપિડ ટેસ્ટની પધ્ધતિ, માત્ર એક કલાકમાં જાણી શકાશે પરિણામ નવી દિલ્હી તા. 19 વિશ્વભરના વૈજ્ઞાનિકો હાલ કોરોનાની અસરકારક વેકિસનની શોધ કરવામાં વ્યસ્ત બન્યા છે. જયાં સુધી કોઇ વેકિસન ન મળે ત્યાં સુધી સંક્રમણ અટકાવવા માટે મહતમ ટેસ્ટિંગ જ એકમાત્ર વિકલ્પ છે. જેને ધ્યાને લઇને શોધકર્તાઓએ એક નવો રેપિડ ટેસ્ટ વિકસિત કર્યો છે. આ ટેસ્ટની મદદથી એકાદ કલાકની અંદર જ પરિણામ જાણી શકાય છે. અમેરીકાની ઇન્સ્ટિીટયુટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી) નાં શોધકર્તાઓનું કહેવું છે કે ‘સ્ટોપ કોવિડ’ નામના આ ટેસ્ટની કિંમત ઘણી વ્યાજબી હશે. જેનાથી લોકો જાતે જ ઘર બેઠા કોરોનાની તપાસ કરી શકશે. ‘ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીન’માં પ્રકાશિત અભ્યાસ અનુસાર આ નવો ટેસ્ટ 93 ટકા પોઝીટીવ કેસોની ઓળખ કરવામાં અસરકારક સાબિત થયો છે. આ ટેસ્ટ 402 દર્દીઓના સ્વેબના નમુના પર અજમાવવામાં આવ્યો હતો. શોધકર્તા હાલમાં લાળના નમુના સાથે ‘સ્ટોપ કોવિડ’ ટેસ્ટને તપાસી રહયા છે. આ પધ્ધતિથી ઘરે જ તપાસ કરવી સરળ બનશે. શોધકર્તાઓનું કહેવું છે કે ‘આ પરિસ્થિતિમા...

અમરેલીના સાંસદ નારણભાઇ કાછડિયા દ્વારા કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ રૂ. ૫૧ લાખની ગ્રાન્ટ ફાળવણી

Image
અમરેલીના સાંસદ નારણભાઇ કાછડિયા દ્વારા કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ રૂ. ૫૧ લાખની ગ્રાન્ટ ફાળવણી હાલ સમગ્ર વિશ્વ જયારે કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે અમરેલી વિસ્તારના સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ અમરેલીની આરોગ્ય વિભાગની વ્યવસ્થાને ધ્યાને લઇ વિવિધ જરૂરી સાધનો વિકસાવવા તેમજ અન્ય સેવાઓને વધુ સારી બનાવવા રૂ. ૫૧ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.અમરેલીની સિવિલ હોસ્પિટલમાં મલ્ટીપરા મોનિટર વિથ ઈ.ટી.સી.ઓ.ટી. ખરીદવા, કોવીડ-૧૯ અંતર્ગત ટ્રાન્સપોર્ટ વેન્ટિલેટર, ઇન્ફ્રારેડ થર્મોમીટર, પલ્સ ઓક્સિમીટર, ક્રેશ કાર્ટ તેમજ હયૂમીડીફાયર જેવી સુવધાઓને વધુ સુઘડ બનાવવા સાંસદશ્રીએ ગ્રાન્ટ ની ફાળવણી કરી છે. આ ગ્રાન્ટની મદદથી અમરેલી જિલ્લાની આરોગ્યની સુવિધામાં મોટો ફેરફાર થવા પામશે. જરૂરી સાધનોની ખરીદી થવાથી અમરેલી જિલ્લાની આરોગ્યની સુવિધા વધુ સુઘડ બનશે.

*પ્રાથમિક શિક્ષણનું માધ્યમ : ગુજરાતી કે અંગ્રેજી ?*. *જય વસાવડા* #JV

Image
*પ્રાથમિક શિક્ષણનું માધ્યમ : ગુજરાતી કે અંગ્રેજી ?* ગુજરાતી અને અંગેજી માધ્યમની ચર્ચા જૂની હોવા છતાં જૂની થતી નથી. અનેક વાર મને આ બાબતે પૂછાયું છે, બોલ્યો ય છું. ઘણા વિદ્વાનો બોલ્યા છે. લેખોમાં તો ઘણી વાર આ મેં વિષય લીધો છે. હવે એ બાબતની ખુલ્લા દિલે કરેલી વાતો વિડીયોના સ્વરૂપે.  માત્ર મંચ ગજાવતી કે તાળીઓ પડાવતી વાતો કરવાને બદલે મુંબઈમાં ગુજરાતી વિચારમંચ સંસ્થાના મિત્રો નક્કર કામગીરી આ વર્ષોથી આ ક્ષેત્રે કરે છે. મહિનાઓ અગાઉ એમના તરફથી અશ્વિનભાઈનો કોલ આવેલો. અમારે ફોન પર જ ઘણી નિખાલસ વાતો થઈ. એ રીતે નંબર આપીને સરસ મિત્રો સાથે જોડવા માટે સુહ્યદ હર્ષલભાઈ પુષ્કર્ણાનો આભાર.  પણ કોરોનાને લીધે અમારે જે કાર્યક્રમ કરવાનો હતો એ રહી જ ગયો. અંતે હવે મિત્ર બની ગયેલા રાજેશભાઇ ચાવડાએ સરસ ગુણવત્તાનો વિડીયો ઉતારવાની નેમથી સામે ચાલીને રાજકોટ આવવાનું નક્કી કર્યું. પ્રિન્સિપાલ મિત્ર ભરતસિંહ પરમારની ઓફિસમાં શૂટિંગની વ્યવસ્થા થઈ ને અનાયાસ મિત્ર જતીનભાઈ મળ્યા, એ મીઠી મુલાકાત બાબતે હું લખી ચૂક્યો છું. ખૂબ સરસ અમારી એકધારી ચર્ચા ચાલી. વિડીયોગ્રાફી કરતા મિત્રો ય રાજી થતા હતા એ મેં જોયું. રાજ...

અક્ષરશઃ સુસાઈડ નોટ:સુરતમાં બિલ્ડરે જમીનના રૂપિયા ન આપ્યા અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી યુવકે આપઘાત કર્યો

Image
અક્ષરશઃ સુસાઈડ નોટ: સુરતમાં બિલ્ડરે જમીનના રૂપિયા ન આપ્યા અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી યુવકે આપઘાત કર્યો વ્યાજવાળા મારું ઘર પણ લઈ લેવા માગે છે, મારા ફોનમાં કોલ રેકોર્ડિંગ છેઃ આપઘાત કરનારની સુસાઈડ નોટ શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં 42 વર્ષીય યુવકે ઘરે પંખા સાથે કપડું બાંધીને ફાંસો ખાધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. તપાસ કરતા પોલીસને બે પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં બિલ્ડરે રૂપિયા ન આપ્યા અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે. ઘટના શું હતી? શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલી સુંદરવન સોસાયટીમાં 42 વર્ષીય કિરીટ ધીરજ પટેલ પરિવાર સાથે રહેતો હતો. ગત રોજ કિરીટે પોતાના ઘરે પંખા સાથે કપડું બાંધીને ફાંસો ખાધો હતો. પત્નીએ ઘરે આવીને જોયું તો કિરીટ લટકી રહ્યો હતો. તેણે પાડોશીઓને જાણ કરતા તેઓ આવી ગયા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામુ કરીને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસને પરિવારજનોએ જણાવ્યું હતું કે, કિરીટે બે પાનાની સુસાઈડ નોટ લખી છે. લોકડાઉનમાં ધન્વતંરી રથમાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા કિરીટભાઈ સ્ક...

કૌભાંડ, કૌભાંડ, કૌભાંડ, કૌભાંડ, કૌભાંડ, કૌભાંડ, કૌભાંડ, કૌભાંડ

Image
કૌભાંડ, કૌભાંડ, કૌભાંડ, કૌભાંડ, કૌભાંડ, કૌભાંડ, કૌભાંડ, કૌભાંડ ભાજપની મહેરબાનીથી અનાજ માફિયાઓ બેફામ.. ન્યુઝ સોર્સ :- આજનું ગુજરાત સમાચાર

ગરબા કલાસીસનું અવનવું

Image
  ગરબા કલાસીસનું અવનવું “એલા એય નિશુડા, આ કુર્તા બુરતાં ક્યારે લેવા જવું છે?” નવરાત્રી આવવાને બે મહિનાની વાર છે અને આ અભલાને હખ નથી ક્યાંય. અભિનું ખાતું નવરાત્રીના બે-ત્રણ મહિના પેલા આવું જ થઇ જાય. તહેવાર ભલે ‘નવ’ રાત્રિનો હોય, ભાઈલાને એ નવ રાત્રીને બદલે નેવું રાત્રી પણ ઓછી પડે. જો કે નવરાત્રી તો મને પણ બહુ પ્રિય છે. નવરાત્રી આવે અને શહેરના વાતાવરણમાં કેવો સરસ મજાનો પલટો આવી જતો જણાય! શહેરના વિવિધ સ્થળોએ ચણિયાચોળી અને કેડિયું વેચવાવાળાંની ધમધોકાર ઉજાણી, દાંડિયા-રાસ માટેના દાંડિયા વેચવાવાળાં, ગરબાના કલાસવાળાં, આ બધા તો જાણે આખા વર્ષની કમાણી આ નવરાત્રીના તહેવારમાં જ કરી લેતા હોય એવું લાગે હો! એમાંય અમારું નવસારી તો ખાસ્સું એવું નાનું. નવસારી શહેર, એક છેડેથી બીજે છેડે પણ જવું હોય તો, વધેલા પેટ્રોલનાં ભાવની ચિંતા કાર્ય વિના તમે આંટા ઠોકી શકો એવું નાનું છે. નાનું શહેર છે પરંતુ ખુબ જ મીઠ્ઠું છે મારું નવસારી. હવે આ અભલા જોડે આવી જ રીતે આંટા ઠોકવાનું થયું એના કુર્તા માટે એટલે ના પાડવાની આવે જ નઈ ને. આંટા ઠોકવાના કંઈ કેટલાયે ફાયદાઓ છે. રખડવા મળે, ગલ્લે ચા પીવાનો લ્હાવો મળે, મીઠી મીઠી છ...

લાફો

Image
  લાફો આ કવિતા મેં શા માટે લખી છે એ સમજાવવાં માટે હળવાં એવાં વિચાર-મંથન પૂરતાં રહેશે. ઘણીવાર જીવનમાં એવું થતા જોયું હોય છે કે પ્રેમી યુવાં-યુવતીઓ વચ્ચે નાનકડી અમસ્તી બાબતને લઈને અબોલાં નોતરે એવાં ઝગડા થઇ જતાં હોય છે. અહીંની કવિતામાં દર્શાવેલાં પ્રેમીયુગલ વચ્ચેનો ઘટનાક્રમ ત્યારે જઈને અસ્તવ્યસ્ત થાય છે જયારે પ્રેમિકાનો પ્રેમી એનાં પ્રેમની હદ્દ પાર કરે છે.  ચોક્કસપણે બધાં જ પ્રેમીયુગલો વચ્ચે કોઈ ને કોઈ પ્રકારની હદ્દ નક્કી થઇ હોય છે કે જે હદ્દ સુધી તેઓ પોતાનો પ્રેમ દર્શાવી શકતાં હોય છે. અહીં આ ઘેલો પ્રેમી એની પ્રેમિકાનાં સૌંદર્યને પામવા સારું થઈને એમણે નક્કી કરેલી હદ્દ પાર કરે છે ત્યારે પ્રેમિકા તરફથી એને ઠપકો મળતો જણાય છે. ત્યારે આ પ્રેમીને ભાન પડે છે કે એની આ યુક્તિનું કુતૂહલ એની પ્રેમિકા જાણી ચુકી છે.   ધુંઆપૂંઆ એ પ્રીત અમારી કુતૂહલની છે હાંહાંકારી મેળ વગરની યુક્તિ-પ્રયુક્તિ જાણી બધું ગઈ લાફો મારી જાણી બધું ગઈ એક લાફો મારી! સંધ્યાટાણે હું નીકળતો સંધ્યાટાણે હું નીકળતો, ને વાતો કરતાં અમે આંખો રમાડી કુતૂહલની છે હાંહાંકારી જાણી બધું ગઈ એક લાફો મારી. મક્કમ રહેશે મન આ મારું મક્ક...

શોધું હું કમળ…

Image
  શોધું હું કમળ, ને મળે છે કાદવ, હર એક ક્ષણ કેમ વધે બસ આગળ? કલમ છે જૂની, છે અનુભવનો સાગર, મારાં અક્ષરનાં વાદળ, રહે કેમ છે પાછળ? ગતિ જો પકડે મારાં શબ્દોનાં વાદળ, જોઉં છું સામે, તો ઘટે છે કાગળ. શોધું હું કમળ, ને મળે છે કાદવ, હર એક ક્ષણ કેમ વધે બસ આગળ? કવિતા લખું હું, એ આજેય શરમાય છે, પ્રેમનાં મહેરામણ માં રહેજે તું પાછળ. ભમરાંનાં વર્તન મને આજેય પોષાય છે, પણ શોધું છું કમળ, ને મળે છે કાદવ. ગુલાબભર્યા બાગે મને કાંટાય પોષાય છે ભમરાંની તરસ, તમે જાણી છે આગળ? શોધું હું કમળ, મને મળ્યો આ કાદવ ઉઠ્યો જે ક્ષણ, ગયું સપનાનું વાદળ! (ડિસેમ્બર ૨૦૧૫ – મારાં દ્વારા ડેલહાઉસી ટ્રેકિંગ કેમ્પ દરમિયાન કેમેરામાં કેદ કરેલી એક પળ)

રોજ ઉઠી આ એક વિચાર…

Image
  આપણે બધાં એવી મોટી મોટી ફાટેલી નોટ છીએ કે કોઈ આપણાં પ્રત્યે જરાં અવળું બોલે તો સ્વાભિમાનને તરત આકરું લાગી આવે છે. એવામાં આ સ્વાભિમાનને ક્યારે પોસવો જોઈએ અને ક્યારે નહીં એનું ભાન ઘણા ઓછાં અને સમજું એવા લોકોને છે. ઘણીવાર તો નહિવત જેવાં બનાવને ૧-૧ ક્ષણે મગજમાં રાખીને આપણે આપણાં સંબંધોમાં એવી તે મોટી તિરાડોનું સર્જન કરીએ છીએ કે જેનાથી એમનું પડી ભાંગવું નક્કી હોય છે. એવામાં નમતું મૂકતાં આવડે તો જ દોરી સચવાઈ શકે. અહિયાં ૨ મિત્રો વચ્ચેની મિત્રતામાં પડેલી તિરાડને ઉદાહરણ તરીકે લઈને થોડી પંક્તિઓ લખી છે. જો અમલ કરી શકાય એવી લાગે તો જરૂરથી કરજો. કદાચ તમારા કોઈ સંબંધની તૂટવાં જઈ રહેલી દોરી ફરી એકવાર મજબૂત બની જાય.     “ રોજ ઉઠી આ એક વિચાર, કે વાત હું આજે કરી જોઉં ? વીતી ગયેલી વાત ભુલાવી માફ હું આજે કરી જોઉં…   મુદ્દો ક્યાં હતો એ મોટો જે આવી દલીલો કરીને બેઠો મારા ઉછળતાં સ્વાભિમાનને બાજુમાં થોડો મૂકી જોઉં ? રોજ ઉઠી આ એક વિચાર કે વાત હું આજે કરી જોઉં…   કળયુગના આ હાંહાંકારે લોકો પણ છે માથાંભારે જો નાનકડી જીદ આ હારું જૂનો સાથી પામી લઉં રોજ ઉઠી આ એક વિચાર કે વાત હું આજે કરી જોઉ...